શાસ્ત્ર વિધાન – ક્રોધ 3
પ્રસંગ પ્રમાણે પાંડવો દ્યુતમાં અન્યાયથી ગયા હતા અને બાર વર્ષનો વનવાસ અને તેરમાં વર્ષમાં અજ્ઞાત વાસ ભોગવવાનો હતો. દ્રૌપદીથી પોતાના શ્રેષ્ઠ પતિઓની આ હાલત સહન થતી ન હતી અને યુધિષ્ઠિરને પૂછતી તેઓ ક્ષત્રિય છતાં ક્ષમાને કેમ મહત્વ આપો છો અને પોતાનાં ભાઈ અને ભાર્યાની આવી હાલત જોઈ ક્રોધ કેમ નથી કરતાં ?
યુધિષ્ઠિર દ્રૌપદીને ક્રોધની નિંદા કરી સમજાવતા કહે છે :
वाच्यावाच्ये हि कुपितो न प्रजानाति कर्हिचित्।
नाकार्यमस्ति क्रुद्धस्य नावाच्यं विद्यते तथा ।।
– મહાભારત, અરણ્યપર્વ , અધ્યાય ૨૯
અર્થાત – ક્રોધમાં મનુષ્યને કયારેય એ સમજાતું નથી કે શું બોલવું જોઈએ અને શું ના બોલવું જોઈએ. ક્રોધી માટે કંઈ પણ અકાર્ય નથી અને અવાચ્ય નથી
Discover more from વિચારોનું વૃંદાવન
Subscribe to get the latest posts sent to your email.
Leave a Reply