Archive for the ‘મૃદુ ભાષ્ય (સામ નીતિ)’ Tag

શાસ્ત્ર વિધાન – મૃદુ ભાષ્ય (સામ નીતિ)

ભક્ત શિરોમણી પ્રહલાદ પોતાનાં પ્રપૌત્ર બલિને મૃદુ ભાષ્ય (મધુર વાણીમાં બોલનાર) પર કરવી જોઈએ તેનો બોધ આપતાં કહે છે

 

मृदुना दारुणं हन्ति मृदुना हन्त्यदारुणम्।
नासाध्यं मृदुना किंचित्तस्मात्तीव्रतरं मृदु ।।

 

– મહાભારત, અરણ્યપર્વ , અધ્યાય ૨૮

અર્થાત – મનુષ્ય કોમલ ભાવ દ્વારા (સામ નીતિ) ઉગ્ર સ્વભાવ તથા શાંત સ્વભાવનાં મનુષ્યનો નાશ કરે છે. મૃદુતા (મધુર વાણીથી) કંઈ પણ વસ્તુ અસાધ્ય નથી આથી મૃદુતાપૂર્ણ નીતિને ઉત્તમ સમજવી જોઈએ