શાસ્ત્રવિધાન : મહારાજ નહુષ અને મહારાજ યુધિષ્ઠિર વચ્ચેનો શાસ્ત્રચર્ચા ૮

પ્રસંગ પ્રમાણે મહારાજ નહુષને મહર્ષિ અગત્સ્યનો શ્રાપ મળવાથી અજગર બનીને હજારો વર્ષોથી એ યોનિમાં વિતાવી શ્રાપની અવધીનાં અંતની જોતા હતાં. મહર્ષિએ એમને કહ્યું હતું કે જે વ્યક્તિ તમારાં શાસ્ત્રોક્ત યુકત પ્રશ્નોનાં સાચા જવાબ આપશે ત્યારે તમારો આ યોનિમાંથી છુટકારો થશે. સાથે એમને એવી શક્તિ આપી કે એમનાથી બળવાન કોઈ પણ હોય જો એ પ્રાણી એમની જકડમાં આવી ગયો તો તે કોઈ પણ સંજોગોમાં એમની પકડમાંથી નીકળી નહીં શકે

હજારો વર્ષો બાદ, મહાભારતનાં સમયમાં એમનાં વંશજ પાંડવો જ્યારે વનવાસ ભોગવતા એ સરસ્વતી તત્પરનાં દ્વૈતવનમાં આવી પહોંચ્યા. ભીમને પોતાનાં બાહુબળનું બહુ અભિમાન હતું કારણકે તેનાં હાથોમાં દસ હજાર હાથીઓની શક્તિ હતી. એક દિવસ ફરતાં ફરતા ભીમ એ સર્પની અધિકૃર્ત ભૂમિમાં પહોંચી ગયો અને સર્પની જકડમાં આવી ગયો અને પોતાનું બધું સાહસ અને શક્તિ ખોઈ બેઠો.

એને શોધવા મહારાજ યુધિષ્ઠિર નીકળ્યાં અને ભીમસેનને એ સર્પનાં મુખમાંથી છોડાવ્યા બાદ હવે યુધિષ્ઠિર અજગરને પ્રશ્નો પૂછે છે

અજગર બનેલા મહારાજ નહુષ અને મહારાજ યુધિષ્ઠિર વચ્ચેનો શાસ્ત્રચર્ચા નીચે મુજબ છે (૮)

शब्दे स्पर्शे च रूपे च तथैव रसगन्धयोः।
तस्याधिष्ठानमव्यग्रो ब्रूहि सर्प यथातथम् ।।

किं न गृह्णासि विषयान्युगपत्त्वं महामते।
एतावदुच्यतां चोक्तं सर्वं पन्नगसत्तम ।। 

— મહાભારત , અરણ્ય પર્વ, અધ્યાય ૧૮૩, વિચારોનું વૃંદાવન

અર્થાત –  શબ્દ, રૂપ , સ્પર્શ , રસ અને ગંધનો આધાર શું છે ? મન એક સાથે બધાં વિષયને ગ્રહણ કેમ નથી કરી શકતું ?

तदात्मद्रव्यमायुष्मन्देहसंश्रयणान्वितम्।
करणाधिष्ठितं भोगानुपभुङ्क्ते यथाविथि ।।

અર્થાત – સ્થૂળ, સૂક્ષ્મ અને કારણ શરીરનો આશ્રય લઈને અને ઇન્દ્રિયોથી યુક્ત આત્મા નામનું જે દ્રવ્ય છે તે અનેક પ્રકારનાં ભોગ ભોગવે છે

तत्र वै मानुषाल्लोकाद्दानादिभिरनादिभिः।
अहिंसार्थसमायुक्तैः कारणैः स्वर्गमश्नुते ।।

અર્થાત –

ज्ञानं चैवात्र बुद्धिश्च कमश्च भरतर्षभ।
तस्य भोगाधिकरणे करणानि निबोध मे ।।

અર્થાત –  જ્ઞાન,બુદ્ધિ અને મન આ શરીરનાં કરણ સમજવા

मनसा तात पर्येति क्रमशो विषयानिमान्।
विषयायतनत्वेन भूतात्मा क्षेत्रविष्ठितः ।।

અર્થાત – પાંચ વિષયોનાં આધારભૂત પંચભૂતથી બનેલું આ શરીરમાં આત્મા વસે છે. અને આ જ શરીરમાં સ્થિતી પામેલું મન આ પાંચ વિષયોનો ઉપભોગ કરે છે

तत्रचापि नरव्याघ्र मनो जन्तोर्विधीयते।
तस्माद्युगपदत्रास्य ग्रहणं नोपपद्यते ।।

અર્થાત – વિષયોના ઉપભોગ સમયે જીવાત્માનું મન એક જ વિષયને નિયંત્રણ કરે છે આથી આ મન દ્વારા એક સાથે અનેક વિષય ભોગવવા સંભવ નથી

स आत्मा पुरुषव्याघ्र भ्रुवोरन्तरमाश्रितः।
बुद्धिं द्रव्येषु सृजति विविधेषु परावराम् ।।

અર્થાત – આત્મા બંન્ને ભ્રમરની વચ્ચે સ્થિર બનીને ઉત્તમ-અધમ બુદ્ધિથી ભિન્ન ભિન્ન દ્રવ્યો અને વિષયો તરફ પ્રેરિત કરે છે


Discover more from વિચારોનું વૃંદાવન

Subscribe to get the latest posts sent to your email.

No comments yet

Leave a Reply

Discover more from વિચારોનું વૃંદાવન

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading

Discover more from વિચારોનું વૃંદાવન

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading