શાસ્ત્રવિધાન – ક્ષમા
મહાત્મા કશ્યપે ક્ષમાની સાધના પર જે ગાથા લખી છે તે યુધિષ્ઠિર દ્રૌપદીને સમજાવતા કહે છે :
क्षमा धर्मः क्षमा यज्ञः क्षमा वेदाः क्षमा श्रुतम्।
यस्तमेवं विजानाति स सर्वं क्षन्तुर्महति ।।
क्षमा ब्रह्म क्षमा सत्यं क्षमा भूतं च भावि च।
क्षमा तपः क्षमा शौचं क्षमयेदं धृतं जगत् ।।
क्षमा तेजस्विनां तेजः क्षमा ब्रह्म तपस्विनाम्।
क्षमा सत्यं सत्यवतां क्षमा यज्ञः क्षमा शभः ।।
— મહાભારત , અરણ્ય પર્વ , અધ્યાય ૨૯
અર્થાત : ક્ષમા ધર્મ છે , ક્ષમા યજ્ઞ છે . ક્ષમા વેદ છે અને ક્ષમા સ્વાધ્યાય છે. જે મનુષ્ય ક્ષમાના આ ઉત્કૃષ્ટ સ્વરૂપને જાણે છે તે સર્વ વસ્તુને ક્ષમા આપી શકે છે . ક્ષમા બ્રહ્મ છે , ક્ષમા સત્ય છે , ક્ષમા ભૂત-કાલ અને ભવિષ્ય છે . ક્ષમા તપ છે , ક્ષમા દયા છે , ક્ષમા પવિત્રતા છે અને ક્ષમાથી આ સર્વ જગત ધારણ થયેલું છે . ક્ષમા તેજ્સ્વીઓનું તેજ છે . ક્ષમા તપસ્વીઓનું બ્રહ્મ છે . ક્ષમા સત્યવાનોનું સત્ય છે . ક્ષમા લોકપકાર અને ક્ષમા શાંતિ છે . જ્ઞાની પુરુષે સર્વદા ક્ષમા આપવી જોઈયે .જયારે એ બધું જ ક્ષમા કરી દે છે ત્યારે તે સ્વયં બ્રહ્મ બની જાય છે .
Discover more from વિચારોનું વૃંદાવન
Subscribe to get the latest posts sent to your email.
Leave a Reply