Archive for the ‘રાજા જનક :’ Tag
શાસ્ત્રવિધાન: અષ્ટવક્રા અને વન્દ્યુ વચ્ચેનો શાસ્ત્રાર્થ (૯)
અષ્ટવક્રા અને રાજા જનકની રાજસભામાં ગુપ્ત રીતે રહેતો વરુણનો પુત્ર વન્ધુ વચ્ચેનાં શાસ્ત્રાર્થનો આ નવમો શ્લોક છે . ( આઠમો શ્લોક )
વન્દ્યુ નવ માં શ્લોકમાં કહે છે :
नवैवोक्ताः सामिधेन्यः पितॄणां
तथा प्राहुर्नवयोगं विसर्गम्।
नवाक्षरा बृहती संप्रदिष्टा
नवैव योगो गणनामेति शश्वत् ।।
અર્થાત : પિતૃ યજ્ઞમાં સમધિ છોડવાના નવ મંત્ર જણાવ્યાં છે. પ્રકૃતિનાં નવ આવરણ છે (પૃથ્વી ,જળ ,વાયુ , તેજ, આકાશ, શબ્દ , અહંત્તત્વ, મહત્તત્વ અને પુરુષ ) . બૃહતી છંદમાં (સમવૃત્ત છંદનો એક વર્ગ) નવ અક્ષર હોય છે. જેનાથી અનેક પ્રકારની સંખ્યાઓ બની શકે છે તે ગણિતશાસ્ત્રમાં અંક પણ નવ છે .
Leave a comment