શાસ્ત્રવિધાન: યક્ષ અને યુધિષ્ઠિરનો સંવાદ (૨૫)
પુરાણોમાં પ્રસિદ્ધ યક્ષ અને યુધિષ્ઠિરનો સંવાદનો પચ્ચીસમો પ્રશ્ન છે :
યક્ષનો સવાલ :
कः शत्रुर्दुर्जयः पुंसां कश्चव्याधिरनन्तकः।
कीदृशश्च स्मृतः साधुरसाधुः कीदृशः स्मृतः ।।
અર્થાત : મનુષ્યનો દુર્જય શત્રુ કોણ છે ? અનંત વ્યાધિ શું છે ? સાધુ કોને કહેવાય ? અને અસાધુ કોને કહેવાય ?
યુધિષ્ઠિર ઉત્તર આપે છે :
क्रोधः सुदुर्जयः शत्रुर्लोभोव्याधिरनन्तकः।
सर्वभूतहितः साधुरसाधुर्निर्दयः स्मृतः ।।
અર્થાત : ક્રોધ મનુષ્યનો દુર્જય શત્રુ છે. લોભ અનંત વ્યાધિ છે. સમસ્ત પ્રાણીઓનું હિત ઇચ્છનાર સાધુ કહેવાય અને નિર્દયી પુરુષ અસાધુ કહેવાય.
Discover more from વિચારોનું વૃંદાવન
Subscribe to get the latest posts sent to your email.
Leave a Reply