શાસ્ત્રવિધાન: યક્ષ અને યુધિષ્ઠિરનો સંવાદ (૨૨)
પુરાણોમાં પ્રસિદ્ધ યક્ષ અને યુધિષ્ઠિરનો સંવાદનો બાવીસમો પ્રશ્ન છે :
યક્ષનો સવાલ :
का दिक्किमुदकंपार्थ किमन्नं किंच वै विषम्।
श्राद्धस् कालमाख्याहि ततः पिब हरस्व च ।।
અર્થાત : દિશા શું છે ? જળ શું છે ? અન્ન શું છે ? વિષ શું છે ? શ્રાદ્ધ નો સમય સમય શું છે એ બતાવો ?
યુધિષ્ઠિર ઉત્તર આપે છે :
सन्तो दिग्जलमाकाशं गौरन्नं ब्राह्मणं विषम्।
श्राद्धस्य ब्राह्मणः कालः कथं वा यक्ष मन्यसे ।।
અર્થાત : સત્પુરુષ દિશા છે (કારણકે તેઓ ભગવદ પ્રાપ્તિનો માર્ગ બતાવે છે ) . આકાશ જળ સ્વરૂપ છે. ગાય અન્ન સ્વરૂપ છે (કારણકે ગાયથી દૂધ-ઘી આદિ હવ્ય ઉત્પન્ન થાય છે એ હવ્ય યજ્ઞદ્વારા વર્ષા થાય છે અને એ વર્ષાથી અન્ન ઉત્પન્ન થાય છે). પ્રાર્થના (કામના) વિષ છે. બ્રાહ્મણ શ્રાદ્ધનો સમય છે (કારણકે જયારે ઉત્તમ બ્રાહ્મણ મળે ત્યારે શ્રાદ્ધ કરવું જોઈએ)
Discover more from વિચારોનું વૃંદાવન
Subscribe to get the latest posts sent to your email.
Leave a Reply