શાસ્ત્રવિધાન: યક્ષ અને યુધિષ્ઠિરનો સંવાદ (૨૧)
પુરાણોમાં પ્રસિદ્ધ યક્ષ અને યુધિષ્ઠિરનો સંવાદનો એકવીસમો પ્રશ્ન છે :
યક્ષનો સવાલ :
मृत कथं स्यात्पुरुषः कथं राष्ट्रं मृतं भवत्।
श्राद्धं मृतंकथं वा स्यात्कथं यज्ञा मृतो भवेत् ।।
અર્થાત : પુરુષ કઈ રીતે મૃત્યુ પામેલો સમજવામાં આવે છે ? રાષ્ટ્રને કઈ રીતે મૃત્યુ જાણવું ? શ્રાદ્ધને કેવી રીતે મૃત્યુ ગણવામાં આવે છે ? અને યજ્ઞ કઈ રીતે મૃત્યુ પામે છે ?
યુધિષ્ઠિર ઉત્તર આપે છે :
मृतो दरिद्रः पुरुषोमृतंराष्ट्रमराजकम्।
मृतमश्रोत्रियं श्राद्धं मृतो यज्ञस्त्वदक्षिणः ।।
અર્થાત : દરિદ્ર પુરુષ મૃત્યુ પામેલો સમજવામાં આવે છે. રાજા વગરનું રાષ્ટ્રને મૃત્યુ જાણવું. ક્ષોત્રિય બ્રાહ્મણ વગર શ્રાદ્ધને મૃત્યુ ગણવામાં આવે છે. અને દક્ષિણા વગરનો યજ્ઞ મૃત્યુ પામે છે.
Discover more from વિચારોનું વૃંદાવન
Subscribe to get the latest posts sent to your email.
Leave a Reply