જાણવા જેવું: રામ રાજ્યનું વર્ણન

દેવર્ષિ નારદ રાજા સૃઞ્જંયને  “રામ રાજ્ય” નું વર્ણન કરતા કહે છે:

नाधनो यस्य विषये नानर्थः कस्यचिद्भवेत्।
सर्वस्यासीत्पितृसमो रामो राज्यं यदन्वशात्।।

દશરથ નંદન શ્રી રામનાં રાજ્યમાં કોઈ સ્ત્રી વિધવા ન હતી , કોઈ અનાથ ન હતું , તે પ્રજાને પોતાના સંતાન ની સમાન રાખતા હતા.

कालवर्षी च पर्जन्यः सस्यानि समपादयत्।
नित्यं सुभिक्षमेवासीद्रामे राज्यं प्रशासति।।

ત્યારે મેઘ સમયપર વર્ષા કરતા હતા , સમયસર અન્ન પાકતું હતું , સર્વદા સુકાળ રહેતો હતો.

प्राणिनो नाप्सु मञ्जन्ति नानर्थे पावकोऽदहत्।
न व्यालतो भयं चासीद्रामे राज्यं प्रशासति।।

તે સમયે કોઈ જીવ પાણીમાં ડૂબીને મરતો ન હતો . કોઈને અગ્નિ થી કષ્ટ પહોચતું ન હતું . ક્યારે કોઈ રોગોનો ભય ન હતો .

आसन्वर्षसहस्रिण्यस्तथा वर्षसहस्रकाः।
अरोगाः सर्वसिद्धार्था रामे राज्यं प्रशासति।।

દરેક સ્ત્રી અને પુરુષનું આયુ સહસ્ત્ર વર્ષોનું હતું . અનેક પ્રકારની સિદ્ધિ સર્વદા હાજર રહેતી હતી .

नान्योन्येन विवादोऽभूत्स्त्रीणामपि कुतो नृणाम्।
धर्मनित्याः प्रजाश्चासन्रामे राज्यं प्रशासति।।

કોઈ પણ જાતનો વિવાદ સ્ત્રીઓ વચ્ચે થતો ન હતો , પછી પુરુષોની વાત જ ક્યાં ? મૂર્તિમાન ધર્મ  પ્રજા વચ્ચે બિરાજમાન હતો .

संतुष्टाः सर्वसिद्धार्था निर्भयाः स्वैरचारिणः।
नराः सत्यव्रताश्चासन्रामे राज्यं प्रशासति।।

પ્રજા હંમેશા સંતુષ્ટ , પૂર્ણકામ , નિર્ભય , સ્વેછાનુસાર આચરણ કરનાર , અને સત્યવાદી હતાં .

नित्यपुष्पफलाश्चैव पादपा निरुपद्रवाः।
सर्वा द्रोणदुघा गावो रामे राज्यं प्रशासति।।

વૃક્ષ નિત્ય ફળ અને પુષ્પથી લાદેલા રહેતાં હતાં , ગાયો ભરપુર દૂધ આપતી હતી .

મહાભારત , શાંતિ પર્વ , અધ્યાય ૨૮


Discover more from વિચારોનું વૃંદાવન

Subscribe to get the latest posts sent to your email.

1 comment so far

  1. Reblogged this on વિવિધા.


Leave a Reply

Discover more from વિચારોનું વૃંદાવન

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading

Discover more from વિચારોનું વૃંદાવન

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading