Archive for the ‘૨૦૦ અધ્યાય’ Tag

જાણવા જેવું : પરમાત્માનાં ગુણ (૧)

नोष्णं न शीतं मृदु नापि तीक्ष्णं
नाम्लं कषायं मधुरं न तिक्तम्।
न शब्दवन्नापि च गन्धवत्त
न्न रूपवत्तत्परमस्वभावम्।।

न चक्षुषा पश्यति रूपमात्मनो
न चापि संस्पर्शमुपैति किंचित्।
न चापि तैः साधयते स्वकार्यं
ते तं न पश्यन्ति स पश्यते तान्।।

— મહાભારત, શાંતિ પર્વ, ૨૦૦ અધ્યાય

અર્થાત : પરમાત્મા ના શીતલ છે ના ઉષ્ણ , ના કોમલ છે ના કઠોર , ના મૃદુ છે ના તીક્ષ્ણ , ના મધુર છે ના કડવા , ના ખાટ્ટા છે ના કષાય સ્વાદનું, શબ્દ , ગંધ અને રૂપથી પણ રહિત છે . કોઈ પણ પોતાના ચર્મચક્ષુથી (આંખો) પરમાત્માને જોઈ નથી શકતું . પોતાની ત્વચાથી તેમને સ્પર્શ નથી કરી શકતું અને કોઈ પણ ઇન્દ્રિયો વડે એમનું કોઈ પણ કાર્ય સિદ્ધ નથી કરી શકતું . ઇન્દ્રિયો એમને નથી જોઈ શકતી , પણ એ સર્વને જોઈ શકે છે .