જાણવા જેવું – નિંદ્રા

कच्चिच्चापररात्रेषु सदा निद्रां विमुंचसि ।।
निद्रा मूलमधर्मस्य निद्रा पापविवर्द्धिनी ।। १५-३० ।।

निद्रा दारिद्यजननी निद्रा श्रेयोविनाशिनी ।।
नहि निद्रान्वितो राजा चिरं शास्ति वसुंधराम् ।। १५-३१ ।।

— નારદ પુરાણ , ઉતરાર્ધ અધ્યાય ૧૫

રાજા રુકમાઙ્ગદ પોતાના પુત્ર ધર્માઙ્ગદને કહે છે “પ્રતિદિન રાતનાં પાછલાં પ્રહરમાં (ઉષા કાળ પહેલાં) તમારી નિંદ્રા ખુલી જાય છે ? કારણકે અતિ નિંદ્રા અધર્મનું મૂળ છે. નિદ્રા દ્રરિદ્રતાની જનની અને કલ્યાણની નાશ કરવાવાળી છે , નિંદ્રાના વશમાં રહેનારા રાજા પૃથ્વી પાર અધિક દિવસ સુધી શાસન કરી શકતા નથી. નિંદ્રા વ્યભિચારિણી સ્ત્રીઓની માફક પોતાનાં સ્વામીનો આલોક અને પરલોક એ બન્નેનો નાશ કરવાવળી છે”

વિચારોનું વૃંદાવન

જીવન એક શૂન્ય શરૂઆત, મૃત્યુ એક પૂર્ણ વિરામ !

Skip to content ↓