Archive for the ‘પ્રાણ નીકળવાનાં માર્ગ’ Tag
જાણવા જેવું – પ્રાણ નીકળવાનાં માર્ગ અને કેવા પ્રકારનો મનુષ્ય
ऊर्ध्वं भित्त्वा प्रतिष्ठन्ते प्राणाः पुण्यवतां नृप।
मध्यतो मध्यपुण्यानामधो दुष्कृतकर्मणाम्।।
— મહાભારત , શાંતિ પર્વ
અર્થાત: પુણ્યત્મા મનુષ્યનાં પ્રાણ બ્રહ્મરન્ધ્રને (મસ્તકમાં એક છિદ્ર) ભેદીને નીકળે છે . જેનામાં પુણ્યનો ભાગ અડધો અર્થાત જે મનુષ્ય પાપ-પુણ્યથી મિશ્રિત છે તેનો પ્રાણ મધ્યમ દ્વાર (મુખ, નેત્ર આદિ )થી નીકળે છે . જે મનુષ્યે માત્ર પાપ કર્યા છે તેનો પ્રાણ અધોમાર્ગ (ગુદા – વાયુ દ્વારા, શિશ્ન – પેશાબ દ્વારા) દ્વારા નીકળે છે .