Archive for the ‘ધર્મ’ Tag
આજનો સુવિચાર: સત્ય
न सा सभा यत्र न सन्ति वृद्धा
न ते वृद्धा ये न वदन्ति धर्मम्
नासौ हर्मो यतन सत्यमस्ति
न तत्सत्यं यच्छलेनानुविद्धम् ।। ४९ ।।
— મહાભારત , ઉદ્યોગ પર્વ , ૩૫ મો અધ્યાય ( વિદુર નીતિ )
અર્થાત:
એ સભા સભા નથી જ્યાં મોટા અને વૃદ્ધ નથી હોતા,
એ વૃદ્ધ વડીલ નથી કહેવાતા જે ધર્મની વાત ના કરે.
એ ધર્મ ધર્મ નથી જેમાં સત્ય નથી.
અને એ સત્ય નથી જે કપટથી પૂર્ણ છે.