શાસ્ત્રવિધાન: પઞ્ચદક્ષિણ યજ્ઞ
न नश्यति कृतं कर्म चित्तपञ्चेन्द्रियैरिह।
ते ह्यस्य साक्षिणो नित्यं षष्ठ आत्मा शुभाशुभे।।
चक्षुर्दद्यान्मनो दद्याद्वाचं दद्याच्च सूनृताम्।
अनुव्रजेदुपासीत स यज्ञः पञ्चदक्षिणः।।
— મહાભારત – અનુશાસન પર્વ , અધ્યાય ૧૩
ભીષ્મ મહારાજ યુધિષ્ઠિરને ગૃહસ્થ માટેનો પઞ્ચદક્ષિણ યજ્ઞ જણાવતાં કહે છે :
અર્થાત : પાંચ ઇન્દ્રિયોથી કરવામાં આવેલું કર્મ ક્યારે પણ નષ્ટ નથી થતું . મનુષ્યે જે અવસ્થામાં શુભ કે અશુભ ફળ કર્મ કરે છે તેનું ફળ તેને એ જ અવસ્થામાં ચેઆવ્તા જન્મમાં ભોગવવું પડે છે . આથી એ ઉચિત છે કે મનુષ્યે જયારે કોઈ અતિથી ઘરે આવે ત્યારે – એને પ્રસન્ન દ્રષ્ટીએ જુએ , એની સેવામાં મન લગાડે , મીઠી વાણી બોલી એને સંતુષ્ટ કરે , જ્યાં સુધી તે રહે ત્યાં સુધી એની આગતા સ્વાગત કરે , જયારે એ અતિથી વિદાય લે ત્યારે એની પાછળ પાછળ દુર સુધી જાય – આ પાંચ ક્રિયા ગૃહસ્થ માટે પઞ્ચદક્ષિણ યજ્ઞ કહેવાય છે .
यो दद्यादपरिक्लिष्टमन्नमध्वनि वर्तते।
श्रान्तायादृष्टपूर्वाय तस्य पुण्यफलं महत्।।
જો કોઈ થાકેલો અથવા રોગી અપચીરિત યાત્રીને પ્રસન્નતાપૂર્વક અન્નનું દાન કરે છે તેને મહાન પુણ્યની પ્રાપ્તિ થાય છે .
તમારી ટીપ્પણી