શાસ્ત્રવિધાન: યક્ષ અને યુધિષ્ઠિરનો સંવાદ (30)
પુરાણોમાં પ્રસિદ્ધ યક્ષ અને યુધિષ્ઠિરનો સંવાદનો ત્રીસમો પ્રશ્ન છે :
યક્ષનો સવાલ :
अक्षयोनरकः केन प्राप्यते भरतर्षभ।
एतन्मे पृच्छतः प्रश्नं तच्छीघ्रं वक्तुमर्हसि ।।
અર્થાત : અક્ષય નર્કની પ્રાપ્તિ કોને થાય છે ?
યુધિષ્ઠિર ઉત્તર આપે છે :
रब्राह्मणं स्वयमाहूय याचमानमकिंचनम्।
पश्चान्नास्तीति योब्रूयात्सोक्षयंनरकं व्रजेत् ।।
वेदेषु धर्मशास्त्रेषु मिथ्या यो वै द्विजातिषु।
देवेषु पितृध्रमेषु सोऽक्षयंनरकं व्रजेत् ।।
विद्यमाने धने लोभाद्दानभोगविवर्जितः।
पश्चान्नास्तीति यो ब्रूयात्सोक्षयं नरकं व्रजेत् ।।
અર્થાત : જે મનુષ્ય ભિક્ષા માંગનાર અકિંચન બ્રાહ્મણને આંગણે બોલાવી એને ભિક્ષા નથી આપતો, જે પુરુષ વેદ , ધર્મશાસ્ત્ર , બ્રાહ્મણ , દેવતા અને પિતૃધર્મમાં મિથ્યાબુદ્ધિ રાખે છે, જે ધન હોવા છતાં લોભથી વશ રહીને દાન અને ભોગથી દુર રહે છે અથવા કહે છે કે મારી પાસે ધન નથી આ સહુ અક્ષય નરકના અધિકારી છે.
તમારી ટીપ્પણી