શાસ્ત્રવિધાન: યક્ષ અને યુધિષ્ઠિરનો સંવાદ (૨૭)
પુરાણોમાં પ્રસિદ્ધ યક્ષ અને યુધિષ્ઠિરનો સંવાદનો સત્યાવીસમો પ્રશ્ન છે :
યક્ષનો સવાલ :
किं स्थैर्यमृषिभिः प्रोक्तं किं च धैर्यमुदाहृतम्।
स्नानं च किं परं प्रोक्तं दानं च किमिहोच्यते ।।
અર્થાત : ઋષિઓએ સ્થિરતા કોને કહી છે ? ધૈર્ય કોને કહે છે ? સ્ત્રાન શું છે ? અને દાન કોને કહેવાય ?
યુધિષ્ઠિર ઉત્તર આપે છે :
स्वधर्मे स्थिरता स्थैर्यं धैर्यमिन्द्रियनिग्रहः।
स्नानं मनोमलत्यागो दानं वै भूतरक्षणम् ।।
અર્થાત : પોતાનાં ધર્મમાં સ્થિત રહેવું એ સ્થિરતા છે. ઇન્દ્રિયનિગ્રહને ધૈર્ય કહે છે. માનસિક મળોને છોડવું એ સ્ત્રાન છે. અને સર્વ પ્રાણીઓની રક્ષા કરવી એ દાન છે.
તમારી ટીપ્પણી