શાસ્ત્રવિધાન: યક્ષ અને યુધિષ્ઠિરનો સંવાદ (૨૪)
પુરાણોમાં પ્રસિદ્ધ યક્ષ અને યુધિષ્ઠિરનો સંવાદનો ચોવીસમો પ્રશ્ન છે :
યક્ષનો સવાલ :
किं ज्ञानं प्रोच्यते राजन्कः शमश्च प्रकीर्तितः।
दया च का परा प्रोक्ता किं चार्जवमुदाहृतम् ।।
અર્થાત : જ્ઞાન શું છે ? શમ કોને કહે છે ? દયા કોનું નામ છે ? અને આર્જવ (સરળતા) કોને કહે છે ?
યુધિષ્ઠિર ઉત્તર આપે છે :
ज्ञानं तत्त्वार्थसम्बोधः शमश्चित्तप्रशान्तता।
दयासर्वसुखैपित्वमार्जवं समचित्तता ।।
અર્થાત : વાસ્તવિક વસ્તુઓને યોગ્ય રીતે જાણવું જ્ઞાન છે . ચિત્તની શાંતિને શમ કહે છે. સહુનાં સુખની ઈચ્છા દયા છે. અને સમ ચિત્ત રહેવું એ આર્જવતા (સરળતા) છે.
તમારી ટીપ્પણી