જાણવા જેવું – શ્રેષ્ઠ શું છે ?
इन्द्रियेभ्यो मनः पूर्वं बुद्धिः परतरा ततः।
बुद्धेः परतरं ज्ञानं ज्ञानात्परतरं परम्।।
— મહાભારત, શાંતિ પર્વ, ૧૯૨ અધ્યાય
અર્થાત : ઈન્દ્રિયોથી મન શ્રેષ્ઠ છે . મનથી બુદ્ધિ શ્રેષ્ઠ છે . બુદ્ધિથી જ્ઞાન શ્રેષ્ઠ છે અને જ્ઞાનથી શ્રેષ્ઠ માત્ર પરમાત્મા છે . કારણકે
महत्सु भूतेषु च सन्ति पञ्च
पञ्चेन्द्रियार्थेषु तथेन्द्रियाणि।
सर्वाणि चैतानि मनोनुगानि
बुद्धिं मनोऽन्वेति मतिः स्वभावम्।।
— મહાભારત, શાંતિ પર્વ, ૨૦૦ અધ્યાય
અર્થાત : ઇન્દ્રિયોના પાંચ વિષયો પાંચ મહાભૂતમાં રહે છે . પાંચ મહાભૂત ઇન્દ્રિયોમાં વસે છે . ઇન્દ્રિયો મનની અનુગામી છે . મન બુદ્ધિને આશ્રિત છે. બુદ્ધિ આત્માનો આશ્રય લઈને સ્થિત છે અને આત્મા પરમાત્માનો અંશ છે .
તમારી ટીપ્પણી