શાસ્ત્રવિધાન: યક્ષ અને યુધિષ્ઠિરનો સંવાદ(૭)
પુરાણોમાં પ્રસિદ્ધ યક્ષ અને યુધિષ્ઠિરનો સંવાદનો સાતમો પ્રશ્ન છે :
યક્ષનો :
इन्द्रियार्थाननुभवन्बुद्धिमाँल्लोकपूजितः।
संमतः सर्वभूतानामुच्छ्वसन्को न जीवति ।।
અર્થાત : એ કોણ છે જે ઇંદ્રિયોનાં વિષયોનો અનુભવ કરતાં, શ્વાસ લેતાં , બુદ્ધિમાન હોવા છતાં અને સર્વ લોકમાં પૂજનીય અને દરેક પ્રાણીઓમાં માનનીય હોવા છતાં મરેલો ગણાય છે ?
યુધિષ્ઠિર ઉત્તર આપે છે :
देवतातिथिभृत्यानां पितॄणामात्मनश्च यः।
न निर्वपति पञ्चानामुच्छ्वसन्न स जीवति ।।
અર્થાત: જે મનુષ્ય દેવતા , માતા-પિતા, અતિથી , સેવક અને આત્મા – આ પાંચ જણનું પોષણ નથી કરતો તે શ્વાસ લેવા છતાં જીવિત નથી.
તમારી ટીપ્પણી