શાસ્ત્રવિધાન: યક્ષ અને યુધિષ્ઠિરનો સંવાદ(૪)
પુરાણોમાં પ્રસિદ્ધ યક્ષ અને યુધિષ્ઠિરનો સંવાદનો ચોથો પ્રશ્ન છે :
યક્ષનો સવાલ :
किं क्षत्रियाणां देवत्वं कश्च धर्मः सतामिव।
कश्चैषां मानुषो भावः किमेषामसतामिव ।।
અર્થાત : ક્ષત્રિયોમાં દેવત્વ શું છે ? એમનામાં સત્પુરુષોનો કે જેવો ધર્મ શું છે ? એમનામાં માનવીય ભાવ શું છે ? અને એમાં અસત્પુરુષો જેવું આચરણ શું છે ?
યુધિષ્ઠિર ઉત્તર આપે છે :
इष्वस्त्रमेषां देवत्वं यज्ञ एषां सतामिव।
भयं वै मानुषो भावः परित्यागोऽसतामिव ।।
અર્થાત: બાણવિદ્યા એ ક્ષત્રિયોનું દેવત્વ છે. યજ્ઞ એ તેમનો સત્પુરુષો જેવો ધર્મ છે. ભય એ તેમનો મનુષ્યતાનો ભાવ છે અને દિનજનોની રક્ષા ના કરવી એ અસત્પુરુષો જેવું આચરણ છે.
તમારી ટીપ્પણી