જાણવા જેવું – સંસારમાં સર્વ શ્રેષ્ઠ કોણ ?
विविधानां च भूतानां जङ्गमाः परमा नृप।
जङ्गमानामपि तथा द्विपदाः परमा मताः।
द्विपदानामपि तथा द्विजा वै परमाः स्मृताः।
द्विजानामपि राजेन्द्र प्रज्ञावन्तः परा मताः।
प्राज्ञानामात्मसंबुद्धाः संबुद्धानाममानिनः।।
— મહાભારત , શાંતિ પર્વ , અધ્યાય ૩૦૩
અર્થાત: સંસારમાં સમસ્ત પ્રાણીઓમાં ચાલવા- ફરવાવાળા જીવ શ્રેષ્ઠ છે .
એ સહુમાં મનુષ્યો શ્રેષ્ઠ છે.
મનુષ્યોમાં દ્વિજ (બે વાર જન્મેલો અથવા બીજી વાર વિધિયુક્ત યજ્ઞોપવીત થયેલું હોય તે માણસ , બ્રાહ્મણ, ક્ષત્રિય અથવા વૈશ્ય) શ્રેષ્ઠ છે .
એ સહુમાં બુદ્ધિમાન શ્રેષ્ઠ છે .
બુદ્ધિમાનોમાં વિચારશીલ શ્રેષ્ઠ છે .
વિચારશીલોમાં જે અહંકારરહિત છે તે સર્વ શ્રેષ્ઠ છે.
તમારી ટીપ્પણી