શાસ્ત્રવિધાન : ધર્માત્મા
यस्मिन्क्षमा च क्रोधश्च दानादाने भयाभये।
निग्रहानुग्रहौ चोभौ स वै धर्मविदुच्यते।।
— મહાભારત , શાંતિ પર્વ, અધ્યાય ૧૪
અર્થાત : જે મનુષ્ય અવસર જોઇને ક્ષમા પણ આપે, અને ક્રોધ પણ કરે, દાન પણ કરે અને ધન પણ કમાય , શત્રુઓને ભય પણ આપે , અને શરણાગતોને નિર્ભય બનાવે , દૃષ્ટોને દંડ આપે અને દીનજનો પર અનુગ્રહ કરે, તે મનુષ્ય “ધર્માત્મા” કહેવાય છે.
તમારી ટીપ્પણી