જાણવા જેવું – વેદ
વેદના ચાર પ્રકાર :- ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ.
- ઋગ્વેદ : ઋગ્વેદ સહુથી પહેલો વેદ છે. તેમાં ધરતીની ભૌગોલિક સ્થિતિ, દેવતાઓના આહ્વાનના મંત્રો છે. આ વેદમાં 1028 ઋચાઓ(મંત્રો) અને 10 મંડળ(અધ્યાય) છે.
- યજુર્વેદ : યજુર્વેદમાં યજ્ઞની વિધિઓ અને યજ્ઞોમાં પ્રયોગ કરાય તેવા મંત્રો છે. આ વેદની બે શાખાઓ છે, શુક્લ અને કૃષ્ણ. તેના 40 અધ્યાયોમાં 1975 મંત્રો છે.
- સામવેદ : આ વેદમાં ઋગ્વેદની ઋચાઓ(મંત્રો)નું સંગીતમય રૂપ છે. સામવેદમાં મૂળરુપે સંગીતની ઉપાસના છે. તેમાં 1875 મંત્રો છે.
- અથર્વવેદ : આ વેદમાં રહસ્યમય વિદ્યાઓના મંત્રો છે. જેમ કે જાદુ, ચમત્કાર, આયુર્વેદ વગેરે. આ વેદ સહુથી મોટો છે. તેના 20 અધ્યાયોમાં 5687 મંત્રો છે.
વેદના છ અંગ છે
- શિક્ષા – પહેલું અંગ, આ વેદાંગ વેદના મંત્રોને યોગ્ય રીતે કેમ બોલવા તે શીખવે છે. (ઉચ્ચારશાસ્ત્ર)
- કલ્પ – જેમાં યજ્ઞયાગાદિક ક્રિયાના નિયમોનું પ્રતિપાદન મળે છે (ક્રિયાવિધિશાસ્ત્ર)
- વ્યાકરણ – એ પ્રધાનતમ અંગ છે, ભાષાને નિયમમાં રાખે છે અને વિકાર પામતી અટકાવે છે. તે સાધુ શબ્દનું જ્ઞાન કરાવે છે અને અસાધુ અપભ્રષ્ટ શબ્દનો પ્રયોગ અટકાવે છે
- નિરુક્ત – વેદનું ચોથું અંગ. શબ્દ, મૂળ, વ્યુત્પત્તિ, વૈદિક પદો તથા પદાર્થોનું નિરૂપણ કરનાર શાસ્ત્ર (વ્યુત્પત્તિશાસ્ત્ર),
- છંદ – વેદના યથાપદ્ધતિ સ્વાધ્યાય માટે છંદાદિનું નિયમન અને જ્ઞાન આપનારૂં શાસ્ત્ર.
- જ્યોતિષ – ગણિત, ફળ અને મુહૂર્ત વડે યજ્ઞયાગાદિ ક્રિયા માટે શોભન કાળનો નિર્ણય કરનારૂં શાસ્ત્ર
વેદના ચાર ઉપ અંગ છે
- પુરાણ
- ન્યાય
- મીમાંસા
- ધર્મશાસ્ત્ર
તમારી ટીપ્પણી